28/10/2024
આદરણીય માધવ,
જય શ્રી કૃષ્ણ!
દીપોત્સવી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ !
એ કેવળ એક ઉત્સવ નથી પરંતુ ઉત્સવોનું સ્નેહસંમેલન છે.
આજ રમા અગિયારસ ઉપવાસથી દેહનું તપ
વાક્ બારસ. વાણીનું તપ. માઁ સરસ્વતીનું પૂજન
ધનતેરસ : શુદ્ધ ધન પ્રાપ્તિ માઁ લક્ષ્મીનું પૂજન
કાળીચૌદસ: અનિષ્ટનો નાશ. માઁ મહાકાળીનું પૂજન
દીવાળી: અંધકાર હટાવો, પ્રકાશ અને અભય પામો. હવાનું પ્રદૂષણ દૂર કરવા ફટાકડા ફોડો.
નૂતન વર્ષનો પ્રથમ દિવસ: પ્રેમ, સ્નેહથી, દુશ્મનાવટ ભૂલીને એકબીજાના ઘેર જઈને મળો.
ભાઈ-બીજ: બેનના આજીવન પ્રેમ માટે એના ઘેર જઈ પૂજન કરો.
આ પાંચ ઉત્સવો પાંચ વિભિન્ન સાંસ્કૃતિક વિચાર ધારાઓ લઈને સમ્મિલિત થયા છે.
જાગૃત સમજપૂર્વક જો આ ઉત્સવ ઉજવવામાં આવે તો માનવને સમગ્ર જીવનનું સુસ્પષ્ટ દર્શન એમાંથી સાંપડી રહે.
અસ્તુ
ભારત માતા કી જય.