Madhav Sarafi Sahakari Mandli

Madhav Sarafi Sahakari Mandli Since year 1991 serving our esteemed members with quick financial assistance and adding to their overall welfare.

Madhav Sharafi Sahkari Mandali established in year 1999 with a single motto of serving it's members, and since inception we are successfully doing it past 25 years and running...

*માધવ શરાફી સહકારી મંડળી લી*૨૭ માં સ્થાપના દિન નિમિત્તે*માધવ મધુરમ*સુર શબ્દના આરાધક *શ્રી સચિન લીમયે*ના સથવારેતા. ૧૫ જુલ...
26/06/2025

*માધવ શરાફી સહકારી મંડળી લી*
૨૭ માં સ્થાપના દિન નિમિત્તે
*માધવ મધુરમ*
સુર શબ્દના આરાધક
*શ્રી સચિન લીમયે*
ના સથવારે
તા. ૧૫ જુલાઈ ૨૦૨૫ મંગળવાર, રાત્રે ૮:૦૦ કલાકે,
હેમુગઢવી હોલ રાજકોટ.

*સભાસદએ કાર્યક્રમ ના પાસ સંસ્થા ના કાર્યાલયેથી મેળવી લેવા વિનંતી.*

01/11/2024

*આજે આરામ દિવસ*
રોજ તો રામ દિવસ હોય; આજે આરામ દિવસ.
તિથિઓ, નક્ષત્રોએ રજા પાળી છે. રોજ સૂર્યના ઉદય સાથે અમારે પણ ઉદય થવું એ ક્યાં નો ન્યાય?
કહી દો સૂર્યને...
અરે! સૂર્યના બાપને પણ કહી દ્યો!
એક દિવસ અમે અમારી રીતે જ ઉગીશું.
ને અમે જીદે ભરાયા!
સ્ત્રીહઠ જેવી જ તિથિ હઠ.
આજે અમે સૂર્યોદય સાથે ન ઉદય થયા...
માનવજાત તો ડાહી ને રંગીલી
એટલે એમાં ય ખુશ થઈ!
દુઃખી કરવાની મનસા મરી ગઈ.
મહેણા-ટોણા આપણને મારે; ને પોતે મોજ કરે!
વરસનો વચલો દિવસ!
પડતર દિવસ!
ધોકો!
જેવા હલકા ઉપનામ આપી
ઓળખ અમારી બગાડી!
હવે સમજ્યાં,
અહમના ફળ.
મૂળથી વિખુટા એટલે ખુટલ!
નવલ શીલુ

આદરણીય માધવ,જય શ્રી કૃષ્ણ!દીપોત્સવી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ ! એ કેવળ એક ઉત્સવ નથી પરંતુ ...
28/10/2024

આદરણીય માધવ,
જય શ્રી કૃષ્ણ!
દીપોત્સવી એટલે આનંદ, ઉલ્લાસ અને પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ !
એ કેવળ એક ઉત્સવ નથી પરંતુ ઉત્સવોનું સ્નેહસંમેલન છે.
આજ રમા અગિયારસ ઉપવાસથી દેહનું તપ
વાક્ બારસ. વાણીનું તપ. માઁ સરસ્વતીનું પૂજન
ધનતેરસ : શુદ્ધ ધન પ્રાપ્તિ માઁ લક્ષ્મીનું પૂજન
કાળીચૌદસ: અનિષ્ટનો નાશ. માઁ મહાકાળીનું પૂજન
દીવાળી: અંધકાર હટાવો, પ્રકાશ અને અભય પામો. હવાનું પ્રદૂષણ દૂર કરવા ફટાકડા ફોડો.
નૂતન વર્ષનો પ્રથમ દિવસ: પ્રેમ, સ્નેહથી, દુશ્મનાવટ ભૂલીને એકબીજાના ઘેર જઈને મળો.
ભાઈ-બીજ: બેનના આજીવન પ્રેમ માટે એના ઘેર જઈ પૂજન કરો.
આ પાંચ ઉત્સવો પાંચ વિભિન્ન સાંસ્કૃતિક વિચાર ધારાઓ લઈને સમ્મિલિત થયા છે.
જાગૃત સમજપૂર્વક જો આ ઉત્સવ ઉજવવામાં આવે તો માનવને સમગ્ર જીવનનું સુસ્પષ્ટ દર્શન એમાંથી સાંપડી રહે.
અસ્તુ
ભારત માતા કી જય.

05/10/2024
02/09/2024

શ્રાવણી અમાસ ને સોમવાર
*कर्मणो ह्यपि बोद्धव्यं बौद्धव्यं च विकर्मण:।*
*अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गति:।।* ४/१७
કર્મનું સ્વરૂપ બુદ્ધિથી જાણવું જોઈએ, વિકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કારણકે કર્મની ગતિ ગહન છે.કોઈ એને સમજી શક્યું નથી. કર્મ એટલે શાસ્ત્રવિહિત કર્તવ્ય, વિકર્મ એટલે નિષિદ્ધ કર્મો અને અકર્મ એટલે કશું ન કરવું.

01/09/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચૌદશ
*यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:*। ३/२१
શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે જનસાધારણ માણસો પણ તેવું તેવું આચરણ કરે છે. જે કંઈ પ્રમાણ તેઓ કરી જાય છે બીજા મનુષ્ય તે પ્રમાણે જ તેમનું અનુસરણ કરે છે.
આમ શ્રેષ્ઠ માણસે એવું જ આચરણ કરવું જોઈએ કે જેનું અનુસરણ કરતાં સામાન્ય લોકો પણ અસતથી દૂર રહે અને સમાજહિતના સત્કાર્યો કરે.એ જ સાચા લોકસંગ્રાહક છે.

31/08/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની તેરસ
*कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।* ३/२०
રાજા જનક જેવા અનેક મહાપુરુષો કર્મ દ્વારા જ પરમસિદ્ધિને પામ્યા હતા. ગીતાકાર રાજા જનકના આવા કાર્યોને લોકસંગ્રહ કહે છે. લોકમર્યાદા સુરક્ષિત રાખવા માટે લોકોને અસત એટલે કે જૂઠ થી વિમુખ કરીને સતની સન્મુખ કરવા માટે નિસ્વાર્થ ભાવપૂર્વક કર્મ કરવું એને લોક સંગ્રહ કહેવામાં આવે છે; અને આવા કર્મ કરનારને લોકસંગ્રાહક.
RSSના સ્થાપક ડો.કેશવરાવ હેડગેવારજી તથા ગુરુજી આવા શ્રેષ્ઠ લોક સંગ્રાહક હતા.

30/08/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની બારસ શુક્રવારના હર હર મહાદેવ!
*न आदत्ते कस्यचित्पापं न चैव सुकृतं विभु:।* ५/१५
ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ સ્વમુખે કહે છે કે, *સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના કુકર્મને કે ન તો કોઈના શુભકર્મને ગ્રહણ કરે છે.* એનો અર્થ એ થાય કે, ઈશ્વર પાપકર્મની સજા કરતો નથી કે શુભકર્મના ફળ આપતો નથી. સત્ય તો એ છે કે વ્યક્તિને પોતે કરેલા કર્મ પ્રમાણે ફળ મળે છે. એને કુદરતનો ન્યાય કહો કે ભાગ્યની બલિહારી!

29/08/2024

શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અગિયારસ,ગુરૂવાર
*पत्र पुष्पों फलों तोयं यो में भक्त्या प्रयच्छति।
तदहं भक्त्युपह्रतं अश्नामि प्रयतात्मन:।।* ९/२६
ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, શુદ્ધ અંતઃકરણવાળા ભક્ત દ્વારા ભાવપૂર્વક અર્પણ કરાયેલ પત્ર,પુષ્પ,ફળ કે જળ જેવી નાનકડી ભેટ હું પ્રેમપૂર્વક સ્વીકારું છું.
ચાણક્ય પણ એ જ કહે છે કે, રાજાને મળવા જવાનું થાય ત્યારે કદી ખાલી હાથે ન જવું; કંઈક ભેટસોગાદ લઈને જ જવું.

Address

Madhav Bhavan, Akshar Marg, Opp SBI, Kalavad Road, Opp. BAPS Mandir
Rajkot
360001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm

Telephone

+919726938038

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhav Sarafi Sahakari Mandli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Madhav Sarafi Sahakari Mandli:

Share