07/06/2024
ડૉ.ભીમરાવ ક્રે. કો. સોસાયટી લી., વરધરીની પાંચમી વાર્ષિક સાધારણ યોજાઈ...
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વરધરીમાં ડૉ.ભીમરાવ ક્રે. કો. સોસાયટીની પાંચમી વાર્ષિક સાધારણ તારીખ ૦૨/૦૬/૨૦૨૪ ને રવિવારે યોજાઈ હતી. આ બચત ધિરાણ મંડળી છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. તેમા સમાજના ૧૧૨ જેટલા સભાસદો મહિને પોતાની બચત જમા કરાવીને સમાજમાં જરૂરિયાત લોકોને ઓછા વ્યાજ દરે લોન આપવાનું કામ કરે છે. આ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
તેમા પાંચ વર્ષ પૂરા થતાં હોવાથી વ્યવસ્થાપક કમિટીના માર્ગદર્શન હેઠળ દરેક સભસદને ડૉ.બાબા સાહેબના ફોટા અને તેમના નામનું પ્રિન્ટિંગ કરાવી ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા. આ મંડળીના સ્થાપક અને ચેરમેન ડૉ.પ્રવીણ અમીન Dr. Pravin Amin નાનેતૃત્વમાં એક સોવેનિયર પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમા મંડળીનો સમગ્ર અહેવાલ રજૂ કરાયો હતો તેમજ ઇચ્છુક સભાસદોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. મંડળીનું એજન્ડા મુજબનું કામકાજ અને વાર્ષિક સરવૈયું સોસાયટીના સેક્રેટરી શ્રી વિનુભાઈ વણકરે રજૂ કર્યું હતું. જેને સૌ સભસદોએ આવકાર્યું હતું. સોસાયટીના સલાહકાર શ્રી આર.કે.પરમારે મંડળીથી થતાં આર્થિક ફાયદાઓ વિશે જણાવ્યું અને હજુ પણ તેનો વ્યાપ તેવી આશા વ્યક્ત કરી હતી. આ મંડળી થકી છેલ્લા પાંચ વર્ષમાં અનેક સભસદોને આર્થિક મદદ મળી છે અને આ મંડળી એક હરણ ફાળ ભરી રહી છે તેમા ડૉ.પ્રોફે.પ્રવીણ અમીનનો સિહફાળો છે. સોસાયટીના સિનિયર સભાસદ શ્રી નાનજીભાઈ વણકર સભા પ્રમુખ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સભાનું સંચાલન સોસાયટીના ખજાનચી શ્રી નરેન્દ્રભાઈ માયાવંશી Narendra Mayavanshi એ કર્યું હતું. સભામાં ઉપસ્થિત સભાસદોએ રજૂ કરેલા પ્રશ્નોનના ડૉ.પ્રવીણ અમીને સંતોષકારક જવાબ આપી મંડળીની વિશ્વસનીયતા જાળવી રાખી હતી જેથી કરીને સૌનો વિશ્વાસ ખુબ વધ્યો હતો. અંતે સૌ સાથે ભોજન લઈને છુટા પડ્યા હતા.